અનાજ પ્રાપ્‍તિ

રાજય સરકારે જાહેર કરેલ લઘુત્‍તમ ટેકાના ભાવે તેમજ ભારત સરકારે નકકી કરેલ ધોરણો મુજબ રાજયના ખેડૂતોને રક્ષણ આ૫વા માટે રાજય સરકાર ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત અનાજની પ્રાપ્‍તિ અંગેની નીતિ ઘડે છે. અનાજની પ્રાપ્‍તિ બે સીઝનમાં થાય છે. (૧) રવિ માર્કેટીંગ સીઝન જેમાં ઘંઉની પ્રાપ્‍તિ કરવામાં આવે છે. અને (ર) ખરીફ માર્કેટીંગ સીઝન જેમાં ડાંગર, મકાઈ અને બાજરીની પ્રાપ્‍તિ કરવામાં આવે છે.

વધુ જાણો...