જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે રાજયના નાગરિકોને ડિજિટાઇઝ્ડ રેશનકાર્ડ આપવાની જરૂરિયાતને ધ્યાને લઇ સદર યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી શરૂ કરવામાં આવેલ છે. ડિજિટાઇઝ્ડ રેશનકાર્ડ એટલે કે સ્માર્ટ રેશનકાર્ડ ટકાઉ હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાશે. તેના કારણે કાગળ અને સ્ટેશનરીનો બચાવ થશે. અરજદારો ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા સ્માર્ટકાર્ડ મેળવી શકશે તેમજ કોઇપણ સ્થળેથી વેબસાઈટ પરથી અદ્યતન સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકાશે જેના કારણે અરજદારોના સમય અને નાણાની બચત થશે.
SMART (QR Code/ e-sign આધારિત) Ration Card થી રેશનકાર્ડની ખરાઈ કરવામાં સરળતા રહેશે અને તેની અધિકૃતતા ઝડપથી ચકાસી શકાશે