અંત્‍યોદય અન્‍ન યોજના (AAY) હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણો

નીચે દર્શાવેલ કેટેગરીના વ્યકિત/લોકો/જુથો જો બીપીએલ રેશનકાર્ડ ધારણ કરતા હોય અથવા ન ધરાવતા હોય પણ નીચે દર્શાવેલ કેટેગરીમાં આવતા હોય.

  • lise_icon કુટુંબના વડા કે જેઓ વિધવા અથવા બિમાર વ્યક્તિઓ કે અશક્ત વ્યક્તિઓ કે ૬૦ વર્ષની ઉઁમરની વ્યક્તિઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય અથવા સામાજિક આધાર ન હોય.
  • lise_iconવિધવાઓ અથવા બિમાર વ્યક્તિઓ અથવા અશક્ત વ્યક્તિઓ અથવા ૬૦ વર્ષની ઉમર કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ અથવા એકલ સ્ત્રીઓ અથવા એકલ પુરૂષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઈ સાધન ન હોય.
  • lise_iconતમામ આદિમ જૂથો હેઠળના કુટુંબો (Primitive Groups)
  • વધુમાં, નીચે દર્શાવેલ કેટેગરીના વ્યક્તિ/લોકો/જૂથની અંત્યોદય અન્‍ન યોજનાનું રેશનકાર્ડ આપવાનું રહેશે. પરંતુ તેમનું નામ બીપીએલ યાદીમાં (૦ થી ૧૬ આંક ધરાવતા) હોવું જરૂરી છે અથવા તેઓ બીપીએલ રેશનકાર્ડ ધારણ કરતા હોવા જોઈએ.

    જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે, માલ સમાન ઉંચકનાર કુલી, રીક્ષા ચાલક, હાથલારી ચાલવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો.

  • lise_iconબીપીએલ કાર્ડધારક એચ.આઇ.વી. ગ્રસ્ત વ્યક્તિ
  • lise_iconબીપીએલ કાર્ડધારક રકતપિત્તથી અસરગ્રસ્ત

           “અસ્થિવિષયક, માનસિક પડકારિતા, દષ્ટિ વિષયક, મૂકબધિર અને સેરેબ્રલ પાલ્સી સહિત ૪૦% કે તેથી વધુ કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને “વિકલાંગ” (દિવ્યાંગ) તરીકેના લાભો મળવાપાત્ર હોવાથી અંત્યોદય અન્‍ન યોજના હેઠળ અશક્ત વ્યક્તિઓને અંત્યોદય રેશનકાર્ડ આપતી વખતે આ ધોરણ અનુસરવાનું રહેશે.